બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી “મારી માટી-મારો દેશ, મતે નમન, વિરો વંદન” કાર્યક્રમો ચાલી રહ્યા છે. આ કાર્યક્રમોના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દેશભક્તિનો માહોલ સર્જાયો છે. આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની 99 ગ્રામ પંચાયતોમાં દેશભક્તિના માહોલમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આજે થરાદ તાલુકાની 99 ગ્રામ પંચાયતો સમાવિષ્ટ તમામ ગામોના પદાધિકારીઓ, અધિકારીઓ, નાગરિકો, વડીલો, માતાઓ અને બહેનોએ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને દેશ માટે બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગ્રામજનોએ હાથમાં દીવો અને ગામની પવિત્ર માટી સાથે પંચ પ્રાણ સંકલ્પ લીધો હતો અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે પ્રતિબદ્ધતાના શપથ લીધા હતા. ગામમાં “વસુધા વંદન થકી અમૃત વાટિકા” તૈયાર કરવા માટે સ્થાનિક સ્તરે 75 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. દેશની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર નાયકોના પરિવારજનોનું સન્માન કરીને વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ધ્વજને સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આમ, દિયોદર તાલુકાના દરેક ગામડાઓમાં “મારી મારી – મારો દેશ” કાર્યક્રમ દેશભક્તિની ભાવના સાથે ઉજવવામાં આવ્યો હતો. તેમ થરાદ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.