તે થરાદથી ખેંગારપરા જઈ રહ્યો હતો. જ્યારે આ કાર ભોરડુ ગામ પાસે પહોંચી ત્યારે આગળ જતા ટ્રેક્ટર સાથે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બખાસર રાજવી પરિવારના હોનહાર યુવાનનું દર્દનાક મોત નિપજ્યું હતું. મૂળ બખાસરના વતની અને વર્ષોથી થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે રહેતા નરેન્દ્રસિંહ ભૂપતસિંહ ચૌહાણ ગત રાત્રે થરાદથી ખેંગારપુરા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ભોરડુ ગામમાં આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. તેઓ તેમની પાછળ બે વર્ષની પુત્રી અને એક વર્ષનો પુત્ર અને એક નાનું બાળક છોડી ગયા છે.અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ભોરડુ ગામનું છે. આ મહિનામાં આ રોડ પર ટ્રેક્ટર પાછળની ટક્કરનો આ બીજો બનાવ છે.