સરસ્વતી તાલુકાના જલેશ્વર પાલડી ગામે ગૌચર અને સ્મશાન ભૂમિની ગેરકાયદેસર જમીન બાબતે ટીમ પહોંચી હતી. પરંતુ જેસીબી ભંગાણના કારણે કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. જે આજથી ફરી શરૂ કરવામાં આવશે.પાલડી ગામમાં બાલ ગૃહને અડીને આવેલી ગૌચર જમીન પર કેટલાક લોકો ગેરકાયદે કબજો જમાવી રહ્યા છે જેના કારણે ગૌચરની જમીનમાંથી દબાણ દૂર કરવા લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગૌચરની જમીનમાંથી દબાણ હટાવવા માટે ગ્રામ પંચાયતે દબાણકર્તાઓને અનેક વખત નોટિસો આપી હતી, પરંતુ દબાણકર્તાઓએ દબાણ દૂર ન કરતાં આખરે ગ્રામ પંચાયતે સરસ્વતી તાલુકા વિકાસ અધિકારીની કચેરીને જાણ કરી હતી. મંગળવારે સરસ્વતી વહીવટી બંદોબસ્ત સાથે પોલીસનો કાફલો જલેશ્વર પાલડી ગામે પહોંચ્યો હતો. જેમાં તાલુકા વિસ્તરણ અધિકારી, અધિકારી મામલતદાર, મહેસુલ તલાટી, વહીવટદાર, તલાટી કમ મંત્રી, વહીવટી વ્યવસ્થા અને સરસ્વતી પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.