દાંતાના નવાવાસ ગામમાંથી એક અનોખી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના બાદ લોકો આઘાતમાં છે. કારણ કે નવાવાસ ગામમાં વાલ્મિકી સમાજના એક વ્યક્તિનું અચાનક મૃત્યુ થયું હતું. આ મૃતકની ઉંમર આશરે 45 વર્ષની હતી. ત્યારબાદ પરિવારજનો મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લઈ ગયા હતા. જે બાદ પરિવારજનોએ દાંતા મામલતદાર કચેરી ખાતે ધરણા કર્યા હતા. જોકે, પરિવારજનોએ મૃતદેહ સાથે જાહેરમાં વિરોધ કર્યો હતો. મામલતદાર કચેરી બહાર પરિવારજનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
પરંતુ પરિવારજનો દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા હતા ત્યારે કચેરીમાં તલાટી, સરપંચ કે કોઇ અધિકારી હાજર ન હતા.આ સ્થિતિના કારણે પરિવારજનો અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બનાવ અંગે તમામ ગ્રામજનોએ તંત્રની નિંદા કરી હતી. આ સિવાય તેમણે વિરોધ પ્રદર્શનમાં પણ ભાગ લીધો હતો. હાલમાં લોકો તંત્ર સામે ન્યાય માટે આજીજી કરી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે આવનારા સમયમાં ન્યાયનો ધ્વજ ક્યારે લહેરાશે?