દિયોદર લહરીપુરા મધ્યે આવેલા સરકારી અનાજના ગોડાઉન તરફ જતો રસ્તો બિસ્માર બની ગયો છે. અહીંથી દરરોજ અનેક વાહનો પસાર થાય છે. આ રોડ વર્ષોથી જર્જરિત છે. આ અંગે લોકો દ્વારા તંત્રને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તાજેતરમાં બાજરી ભરેલ ટ્રેક્ટર ખાડામાં અથડાયા બાદ ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરેલ બાજરી ઉછળી હતી અને 60 થી 70 જેટલી બાજરી રસ્તા પર પડી હતી.