નવરાત્રીના ચોથા દિવસે દેવી નવદુર્ગાના “કુષ્માંડા” સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. કુષ્માંડા દેવીની પૂજા કરવામાં આવે છે. માતા કુષ્માંડા બુદ્ધિની દેવી છે અને એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી ખ્યાતિ, શક્તિ અને બુદ્ધિ વધે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર કુષ્માંડા માતાજીને અષ્ટભુજા દેવી તરીકે પૂજવામાં આવે છે. તેમના હાથમાં કમંડળ, કમળ, અમૃત પાત્ર, ચક્ર, ગદા, ધનુષ્ય, બાણ અને માળા છે. માતા કુષ્માંડા વાઘ પર સવારી કરે છે અને માતાને લીલો રંગ ખૂબ જ પસંદ છે. તેથી તેમની પૂજામાં લીલો રંગ પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે દેવી કુષ્માંડાને માલપુઆ અર્પણ કરવાથી સાધકને વિશેષ લાભ મળે છે.
..ધુરુમિત થાક્કર (એજન્સી)