(G.N.S) તા. 16
નવરાત્રીના બીજા દિવસે નવદુર્ગાની પૂજા બ્રહ્મચારિણી સ્વરૂપે કરવામાં આવે છે. જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમળ ધરાવનાર બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ સંપૂર્ણપણે તેજસ્વી અને અત્યંત ભવ્ય છે. બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર. આમ બ્રહ્મચારિણી એટલે તપસ્યા કરતી દેવી. બ્રહ્મચારિણી માતાના નામમાં અર્થ છુપાયેલો છે. બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર. આ રીતે તપસ્યા કરનાર દેવી એટલે બ્રહ્મચારિણી માતા. શાસ્ત્રો અનુસાર તેમના આગલા જન્મમાં તેઓ હિમાલયના ઘરમાં પુત્રીના રૂપમાં અવતર્યા હતા.
મા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી સંયમ અને ત્યાગની ભાવના જાગૃત થાય છે, જે ધ્યેય પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. માતાનીની હજારો વર્ષની કઠોર તપસ્યાને કારણે તેનું નામ તપશ્ચરિણી અથવા બ્રહ્મચારિણી પડ્યું. માતા બ્રહ્મચારિણીએ ઘણા વર્ષો સુધી ઉપવાસ કરીને અને ખૂબ કઠિન તપ કરીને મહાદેવને પ્રસન્ન કર્યા.
નારદજીના ઉપદેશને અનુસરીને, તેણે ભગવાન મહાદેવને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી.
..ધુરુમિત થાક્કર (એજન્સી)