રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
મનસુખ માંડવિયાએ કેરળમાં તબાહી મચાવી રહેલા નિપાહ વાયરસને લઈને મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નિપાહ વાયરસના સતત કેસોને ધ્યાનમાં રાખીને કેરળમાં કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવી રહ્યા છે. કોઝિકોડ રાજ્યમાં નિપાહ વાયરસના કારણે બે લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકોમાં આ ખતરનાક વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જન ઔષધિ કેન્દ્રનું કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવેથી સિવિલ હોસ્પિટલના દર્દીઓને જન ઔષધિ કેન્દ્રનો લાભ મળશે.
કેરળ સરકારે સાવચેતીના પગલા તરીકે કોઝિકોડની શાળાઓમાં બે દિવસની રજા જાહેર કરી છે અને વ્યવસાય અને રોજગાર માટેનો સમય પણ નક્કી કર્યો છે. નિપાહ વાયરસને લઈને કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક એક ટીમ કોઝિકોડ મોકલી છે. જે જિલ્લા પ્રશાસન સાથે નિપાહ વાયરસ વિશે માહિતી એકત્ર કરી રહી છે. વિશ્વની પ્રથમ બાયોસેફ્ટી લેવલ 3 (BSL-3) લેબ કેરળમાં વાયરસના પરીક્ષણમાં મદદ કરી રહી છે.