ચંડીગઢ
ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટરને સાવચેતીના પગલા તરીકે પંજાબના સંગરુરમાં લેન્ડ કરવું પડ્યું હતું. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટરને સાવચેતીરૂપે લેન્ડિંગ કરવું પડ્યું.
સંગરુરના આ ગામમાં લેન્ડિંગ થયું
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે તે સંગરુરના લોંગોવાલના ધાદ્રિયન ગામમાં ખુલ્લા મેદાનમાં ઉતર્યું હતું. આ ઘટના બાદ કોઈ જાનહાનિની માહિતી મળી નથી. ક્રૂ મેમ્બર અને હેલિકોપ્ટર બંને સુરક્ષિત છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.