પાટણ શહેરના ગુર્જરવાડામાં ચાલી રહેલી અધિક માસ કથામાં રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ શહેરના ગુર્જરવાડામાં સમગ્ર પરિવાર દ્વારા શ્રાવણ માસમાં પુરૂષોત્તમ ભગવાન અને શ્રીમદ ભગવાન જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરવામાં આવે છે જેમાં શાસ્ત્રી ગીરીશભાઈ રાવળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રસપાન કરાવે છે. આ પ્રસંગે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. યજમાન તરીકે રૂક્ષ્મણી વિવાહ, પટેલ સંજયકુમાર કાંતિલાલ, કેતનકુમાર કાંતિલાલ, સંજયકુમાર કાંતિલાલ દ્વારકાધીશે માંડ વાડા લીધા હતા. ત્યારબાદ તેમના નિવાસ સ્થાનેથી રૂક્ષ્મણી વિવાહની શોભાયાત્રા નીકળી હતી જેમાં ગુજરવાલા યુથ ક્લબના તમામ પરિવારજનોએ ભાગ લીધો હતો.