પાટણ શહેરમાં જન્માષ્ટમીના શુભ દિને શહેરમાં વિવિધ સ્થળોએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી નિમિત્તે ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિવિધ સ્થળોએ મટકી ફોડવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાટણના જય ગોપાલમિત્ર મંડળ રંગીલા હનુમાન દ્વારા જન્માષ્ટમીના પાવન દિવસની સાંજે શહેરના હિંગળાજ ચાચર ખાતેથી રાધા કૃષ્ણની મૂર્તિઓ લાવી રંગીલા હનુમાન મંદિરમાં મૂર્તિનું સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી.
ત્યારબાદ બપોરે 12:00 કલાકે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ જય ગોપાલમિત્ર મંડળના યુવાનો દ્વારા ભવ્ય રાસ ગરબા અને મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર બાદ નોમના દિવસે ધાર્મિક વિધિઓ કરી ભગવાન કૃષ્ણને પારણામાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.