પાટણના વસંતપંચમીના પાડામાં નવા મકાનના કામ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ મજૂરોને ઈજાઓ પહોંચી હતી અને ત્રણેયને સારવાર માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં એકનું મોત થયું હતું જ્યારે અન્ય બેને સારવાર માટે ખસેડાયા હતા.
પાટણ શહેરના વસંતપંચમી વિસ્તારમાં એક નિર્માણાધીન બિલ્ડીંગની દિવાલ અચાનક ધરાશાયી થતા ત્રણ મજૂરો દટાયા હતા. જેમાં રમેશભાઈ પરમાર નામના મજૂરને ઈજાઓ થવાથી મોત થયું હતું. જ્યારે અન્ય બે મજૂરોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.