પાટણ શહેરના રામ રહીમ અન્નક્ષેત્રને અડીને આવેલા વસાવડા ગેટ પાસે એક જર્જરિત મકાનની દિવાલ શુક્રવારે મોડી રાત્રે ધરાશાયી થતાં મકાનના કાટમાળ નીચે એક ગાય દટાઈ ગઈ હતી. ઘટનાની જાણ નગરપાલિકાને થતાં પાલિકાની ટીમ તાત્કાલિક જીસીબી, ટ્રેક્ટર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને ધરાશાયી થયેલા મકાનનો કાટમાળ અને તેની બાજુમાં આવેલ પાઈપના ઝાડને હટાવતા સૌએ રાહતની લાગણી અનુભવી હતી. શુક્રવારે રાત્રે 10:30 કલાકે બનેલી આ ઘટના બાદ જીસીબીના ડાયરેક્ટર કલ્પેશજી ઠાકોર, રમેશ ભરવાડ, રમેશ પટેલ સહિત વાહન શાખાની ટીમ પાલિકાના ચીફ ઓફિસર સાથે ઘટના સ્થળે પહોંચી હતી.