આંતરરાષ્ટ્રીય સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર 9 ઓગસ્ટ, 1992ને વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. ત્યારથી આજદિન સુધી સમગ્ર ભારતમાં વસતા આદિવાસી સમાજના લોકો 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવે છે. પાટણ શહેરમાં વસતા આદિવાસી સમાજના લોકો દ્વારા આજે 9 ઓગસ્ટના વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ગૌરવ યાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. પાટણ શહેરના સૂર્ય નગર ચોક ખાતે આદિવાસી સમાજના આરાધ્ય દેવ ધરતી બાબા બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પૂર્વ સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈ પાટણ દ્વારા. શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી તેમજ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ સહિત ગોવિંદભાઈ જેસંગભાઈ ભીલ પરિવાર દ્વારા પ્રતિમાનું દાન કરાતાં રીબીન કાપી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જય જોહરના સંગીત સાથે આદિવાસી સમાજના આદર્શ બિરસા મુંડાની પ્રતિમા પર પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ તરીકે બિરસા મુંડાની પ્રતિમાના દાતા તરીકે ગોવિંદ જેસંગભાઈ ભીલ પરિવારે લાભ લીધો હતો.