ભારતીય ચૂંટણી પંચ સતત 14મા વર્ષે ‘આપણે મતદાન કરવાની જરૂર છે’ થીમ સાથે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. તેનો હેતુ વિશ્વની સૌથી મોટી લોકશાહીના અમૂલ્ય વિશેષાધિકાર તરીકે મત આપવાના અધિકાર વિશે જાગૃતિ લાવવાનો અને તમામ પાત્ર લોકોને મતદાન કરવા સક્ષમ બનાવવાનો છે. દેશના નાગરિકોએ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો જોઈએ. આ સાથે પાટણ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા ધારપુર મેડિકલ કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દેશના વડાપ્રધાને વર્ચ્યુઅલ મીડિયા દ્વારા યુવાનોને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત પાટણ એપીએમસી પ્રમુખ સ્નેહલભાઈ પટેલે મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલે પણ યુવા મતદારોને જણાવ્યું હતું કે મતદાન કરવું એ આપણી ફરજ છે. આગામી લોકસભા ચૂંટણીમાં, યુવાનોએ ભારતીય જનતા પાર્ટીને અનુચ્છેદ 370 હટાવવા અને અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ જેવા ઐતિહાસિક નિર્ણયોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રવાદી પાર્ટીને મત આપવા અપીલ કરી હતી.
પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ, પાટણ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિવેક પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી હરીભાઈ પટેલ, પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના પ્રમુખ નરેશભાઈ પરમાર, યુવા મોરચાના મહામંત્રી ઈન્દ્રજીતસિંહ રાજપૂત, મંત્રી પ્રવીણસિંહ રાઠોડ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કચેરીના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા