પાટણ શહેરના ઊંઝા હાઇવે ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે શુક્રવારે બપોરે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં દુનાવાડાના બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના પિતાએ અજાણ્યા બાઇક ચાલક સામે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પાટણ તાલુકાના દુનાવાડા ગામના વતની 25 વર્ષીય મેહુલભાઈ મફાભાઈ પરમાર અમદાવાદમાં નોકરી કરતા અને તાજેતરમાં ઉત્તરાયણના તહેવાર માટે પોતાના વતન દુનાવાડા આવ્યા હતા. તે ધારપુરમાં તેની બહેનની ડિલિવરી માટે બાઇક દ્વારા દુનાવાડાથી ધારપુર તરફ જઇ રહ્યો હતો ત્યારે પાટણ શહેરના ઊંઝા હાઇવે ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે અજાણ્યા બાઇક ચાલકે તેને ટક્કર મારતાં તેને સારવાર દરમિયાન ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ની 108. કરવામાં આવી હતી. તેને વધુ સારવાર માટે મહેસાણા વાઈબ્રન્ટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે મૃતકના પિતા મફાભાઇ માધાભાઇ પરમાર, બાઇક જીજે 24 એ. એસ.7359ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.