પાલનપુર શહેરના ગણેશપુરા વિસ્તારમાં આવેલા અક્ષર બંગલોઝના રહીશો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કોન્ટ્રાક્ટર પર અધૂરા કામનો આક્ષેપ કરીને રાવ સામે ફરિયાદ નોંધાવી હતી અને ન્યાયની માંગણી કરી હતી.
પાલનપુરના ગણેશપુરા અક્ષર બંગલાના રહીશો આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કલેક્ટરને આવેદન આપ્યું હતું. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા હલકી ગુણવત્તાના કામને કારણે રહીશોને હાલાકી ભોગવવી પડતી હોવાનું જણાવ્યું હતું. જેમાં રહીશોએ ફરિયાદ કરી હતી કે, બિલ્ડીંગમાં પ્લાસ્ટર અને ટાઇલ્સના નબળા કામને કારણે વરસાદી પાણી બિલ્ડીંગમાં ઘૂસી ગયા હતા, છતાં કોન્ટ્રાકટરે આંખ આડા કાન કરતા તમામ રહીશોએ કલેક્ટર કચેરીએ પહોંચી ફરિયાદ પત્ર સોંપ્યો હતો. , જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા જલદી સારી કામગીરી ન કરાતા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું.