બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓએ માટીમાંથી ગણપતિની મૂર્તિઓ, ગુલાબ, ઢીંગલી વગેરેના નમૂનાઓ બનાવ્યા હતા. પ્રાથમિક શાળાના આચાર્ય ચેતનાબેન જે.મકવાણા તથા તમામ શિક્ષકોએ માર્ગદર્શન આપ્યું હતું.
સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખ બાબુભાઈ પી.સોલંકી અને મહામંત્રી હરીભાઈ એન.સોલંકીએ અભિનંદન પાઠવ્યા હતા.