મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ચૂંટણી ઢંઢેરામાં જે કહેવાયું હતું તેના કરતા બમણું કામ સરકારે કર્યું છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ બનાસકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપી સંપર્ક અભિયાન ચલાવી રહી છે. “વિકસિત ભારત સંકલ્પ પત્ર-મોદીની ગેરંટી” અંતર્ગત પાલનપુરમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત કાર્યકરો બૂથ લેવલે, ઘરે-ઘરે જઈને લોકોનો સંપર્ક કરશે, લોકોના સૂચનો લેશે અને ભાજપનો સંકલ્પ પત્ર તૈયાર કરશે.
મંત્રીશ્રીએ છેલ્લા દસ વર્ષમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સિદ્ધિઓ અને મોદી સરકારની બાંયધરીઓની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે સાંસદ પર્વતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા તેમજ મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીશ્રીએ છેલ્લા દસ વર્ષમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સિદ્ધિઓ અને મોદી સરકારની બાંયધરીઓની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે સાંસદ પર્વતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા તેમજ મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.