રાજ્યની મુખ્ય નગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં કાઉન્સિલરોની ખાલી પડેલી બેઠકો ભરવા માટે ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર ચારની પછાત વર્ગની ત્રીજી બેઠકની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર ચારની પછાત વર્ગ ત્રણ બેઠકના કોર્પોરેટરે કોઇ કારણોસર પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. . , રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખાલી પડેલી બેઠક ભરવા માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં 17 જુલાઈના રોજ ચૂંટણીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. 22 જુલાઈ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 24મી જુલાઈના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. બીજી તરફ 25 જુલાઈએ ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. અને રવિવારે 6 ઓગસ્ટે મતદાન થશે. તેમજ જરૂર પડશે તો 7 ઓગસ્ટે પુનઃ મતદાન પણ કરવામાં આવશે. અને આ પેટાચૂંટણી માટે મતોની ગણતરી 8 ઓગસ્ટ, 2023 ના રોજ કરવામાં આવશે. જે પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. આવા સંજોગોમાં પાલનપુર નગરપાલિકાની ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગરમાવો વધી ગયો છે.