પાલનપુર શહેરમાં હાલ મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્રણ વર્ષમાં રખડતા ઢોરના હુમલામાં 10થી વધુ ઘાયલ થયા છે અને બેના મોત થયા છે.શહેરના મુખ્ય માર્ગો પર આખલાઓ અવારનવાર લડતા અને ભાગી જતા હોય છે. પરંતુ પાલનપુર નગરપાલિકાની સ્વચ્છતા શાખાના કર્મચારીઓ અને મહાનગરપાલિકાના શાસકોની ઈચ્છા શક્તિ જાણે મરી ગઈ હોય તેમ ત્રણ વર્ષથી કોઈ એજન્સી કામ કરવા તૈયાર નથી તેવું બહાનું કાઢીને તેઓ પોતાની જવાબદારી ટાળી રહ્યા છે. ઢોર પકડવા માટે એજન્સી કેમ મળતી નથી તેવો સવાલ લોકો કરી રહ્યા છે. શહેરના માલણ દરવાજા વિસ્તારમાં નગરપાલિકાનો ઢોર શેડ પણ છે, પરંતુ આ બાબતે કોઈ ગંભીરતા દાખવવામાં આવતી નથી. રહીશોએ આક્રોશ વ્યકત કર્યો હતો કે નગરપાલિકા અને પોલીસ સ્ટાફ ઢોર બાબતે શહેરમાં જાણે રાણી જ ન હોય તેવું વર્તન કરી રહ્યા છે.કોઈને પડી નથી, રસ્તા પરથી ઢોરને હટાવવા માટે કયારેય પ્રયાસો કર્યા નથી. નિર્દોષ પશુઓ પણ વાહનોની અડફેટે ગંભીર રીતે ઘાયલ થાય છે. “સ્થાનિક આગેવાન બિરેનભાઈ જોષીએ જણાવ્યું હતું કે, જો ઉકેલ મળે તો તમામ સમસ્યાઓ હલ થઈ શકે છે.