બાતમીના આધારે જીવદયા પ્રેમીઓએ પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાંથી પસાર થતી એક ટ્રકને અટકાવી તલાશી લીધી હતી, જેમાં 63 પશુઓ ભરેલા હતા. જેથી બે લોકો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પાલનપુરના જીવદયાપ્રેમીઓને બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક ટ્રક પાલનપુર તરફ આવી રહી છે. જેમાં પશુઓને ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જેના આધારે પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં જીવદયા પ્રેમીઓએ ઉભા રહીને ત્યાંથી પસાર થતી ટ્રકને અટકાવી હતી. જેમાં 63 પશુઓ જોવા મળ્યા હતા. જેથી જીવદયાપ્રેમી સંજયભાઈ હરખાભાઈ પ્રજાપતિએ યાસીનખાન અલી શેરખાન સિંધી અને સાદીકખાન ઉસ્માનખાન સિંધી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.