સાંજે 7.30 કલાકે રોપ-વેમાં ટેકનિકલ ખામી સર્જાતા અનેક ટ્રોલીઓ જ્યાં હતી ત્યાં જ અટકી ગઈ હતી.
યાત્રાધામ પાવાગઢ મંદિરના રોપ-વેને લઈને મોટા સમાચાર આવ્યા છે. પાવાગઢ રોપવેમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. આજે સાંજે 7:30 વાગ્યે રોપ-વેમાં તકનીકી ખામીને કારણે, ઘણી ટ્રોલીઓ જ્યાં હતી ત્યાં અટકી ગઈ હતી, જેના કારણે કેટલાક યાત્રાળુઓ અધવચ્ચે ફસાયા હતા.
વહીવટીતંત્ર દ્વારા રોપ-વેની ખામી દૂર કરીને ફરીથી રોપ-વે શરૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રોપ-વેની જાળવણીનું કામ થોડા દિવસો પહેલા કરવામાં આવ્યું હતું. પાવાગઢ રોપ-વેની જાળવણીની કામગીરીના કારણે 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી રોપ-વે સેવા બંધ રાખવામાં આવી હતી. હવે મેઇન્ટેનન્સના 15 દિવસમાં જ 12 ઓગસ્ટ શનિવારથી રોપ-વે સેવા ફરી શરૂ થતાં ખામી સર્જાઇ છે.