રાજ્યમાં ઝેરી કેમિકલ પીવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. પોરબંદરમાં ઝેરી કેમિકલ પીવાથી બે માછીમારોના મોત થયા છે અને સાતથી વધુ લોકો સારવાર હેઠળ છે. દરિયામાં માછીમારી કરતી વખતે કેમિકલ ધરાવતું કેરોબ મળી આવ્યું હતું. જેમાંથી આઠથી દસ લોકોએ કેમિકલનું સેવન કર્યું છે. કેરબામાં ઝેરી કેમિકલ પી જતાં 7થી વધુ માછીમારોની હાલત નાજુક છે.