(GNS),તા.18
અમદાવાદના કેડિલાના રાજીવ મોદી સામે નોંધાયેલી બળાત્કારની ફરિયાદમાં અત્યાર સુધીમાં 40 જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. જે બાદ સોલા પોલીસ દ્વારા રાજીવ મોદીને નોટિસ મોકલવામાં આવી છે. નિવેદન લખવા અને તપાસમાં સહકાર આપવા નોટિસ મોકલવામાં આવી છે. કેડિલાના રાજીવ મોદી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે.સોલા પોલીસ સ્ટેશનમાં રાજીવ મોદી અને તેના એચઆર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ મામલે સોલા પોલીસે કાર્યવાહી તેજ કરી છે. આ તપાસમાં અત્યાર સુધીમાં લગભગ 40 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. હવે સોલા પોલીસે રાજીવ મોદીને નોટિસ પાઠવી છે.
નોટિસમાં તપાસમાં સહકાર આપવા અને નિવેદન લખવા પોલીસ સમક્ષ હાજર થવાનો ઉલ્લેખ છે. અત્યાર સુધીમાં 40 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે, જેમાં તેમની ઓફિસ સ્ટાફ, તેમના ફાર્મ હાઉસના સુરક્ષા કર્મચારીઓ, રસોઈયા વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ અન્ય સાક્ષીઓની તપાસ માટે રાજ્યની બહાર જશે અને ત્યાં કેડિલાના અન્ય ઓફિસ કર્મચારીઓના નિવેદન પણ લેવામાં આવશે. .