રણબીર કપૂરે એનિમલ વિશે કહ્યું હતું
સંદીપ રેડ્ડી વાંગાએ શાહિદ કપૂર અને કિયારા અડવાણી અભિનીત ‘કબીર સિંહ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. આ ફિલ્મ જબરદસ્ત હિટ રહી હતી અને દર્શકોને ઘણી પસંદ આવી હતી. ‘એનિમલ’ ભારતમાં 1 ડિસેમ્બરે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. વેરાયટી સાથેના એક ઈન્ટરવ્યુમાં રણબીરે કહ્યું, “સાચું કહું તો હું એનિમલની સ્ક્રિપ્ટ પ્રત્યે આકર્ષાયો હતો. તે એક અનોખી અને તીવ્ર વાર્તા છે જેણે તરત જ મારું ધ્યાન ખેંચ્યું.” અભિનેતાએ એમ પણ કહ્યું કે તેને સંદીપની અગાઉની ફિલ્મો અર્જુન રેડ્ડી અને કબીર સિંહ અતિશય શક્તિશાળી લાગી. પરંતુ, ફિલ્મ સાઈન કરવાનો તેમનો નિર્ણય સ્ક્રિપ્ટ પર આધારિત હતો.