રાજ્યના અનેક વિસ્તારોમાં ફેલાયેલો કંજર્ક્ટિવાઇટીસ નામનો વાયરસ જેને સાદી ભાષામાં આંખ આવવી તેવું થાય. જે રોગ બનાસકાંઠા જિલ્લામાં પણ દેખાવા લાગતા લોકોમાં પણ આ ચેપી રોગની દહેશત જોવા મળી રહી છે. રોજબરોજ આ કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા પણ આ રોગને અટકાયતી પગલા લેવા માટે સતર્ક બનવાની જરૂર છે. જેમાં ખાસ કરીને નાના બાળકોમાં અને શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં આ પ્રકારની બિમારી જોવા મળી છે અને આ રોગ ચેપી હોવાથી તેનો ફેલાવો પણ ઝડપથી થઈ શકે છે ત્યારે લોકોએ પણ ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. જોકે તે રોગ કોઈ જીવલેણ ન હોવાથી ડરવાની જરૂર નથી પરંતુ આવા લોકોએ અલગ રહેવા માટેની સલાહ આપવામાં આવી છે.
કંજર્ક્ટિવાઇટીસ વાયરસમાં આંખ લાલ થવી, આંખમાં ખંજવાળ આવવી, આંખોમાં સતત પાણી પડવું અને દુખાવો થવો તથા પોચપા ચોટી જવા, આંખમાં પરુ નીકળવું જેવા તેના લક્ષણો રહેલા છે. વધુ કોઈ લક્ષણ દેખાય તો તબીબનો સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પણ શાળાઓમાં કંજર્ક્ટિવાઇટીસની તકેદારી રાખવા અને કંજર્ક્ટિવાઇટીસ વાયરસથી અસરગ્રસ્ત થયેલ હોય તેવા બાળકોને શાળામાં રજા આપવામાં આવે અને બીજા બાળકોને ચેપ ન લાગે તે માટેની પણ સૂચના આપવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પણ શાળાઓમાં કંજર્ક્ટિવાઇટીસની તકેદારી રાખવા અને કંજર્ક્ટિવાઇટીસ વાયરસથી અસરગ્રસ્ત થયેલ હોય તેવા બાળકોને શાળામાં રજા આપવામાં આવે અને બીજા બાળકોને ચેપ ન લાગે તે માટેની પણ સૂચના આપવામાં આવી છે.