એક સપ્તાહ પહેલા પાલનપુરની નર્સિંગ હોસ્ટેલમાં 12 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેના કારણે હવે સિવિલ સર્જને હોસ્ટેલનો ફૂડ કોન્ટ્રાક્ટ રદ્દ કરી દીધો છે. બીજી તરફ ભોજન માટે અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સિવિલ સર્જને કોન્ટ્રાક્ટરનો ફૂડ કોન્ટ્રાક્ટ રદ કર્યાને ત્રણ દિવસ વીતી ગયા છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને ત્રણ દિવસથી બહારની કેન્ટીનમાંથી ભોજન લેવાની ફરજ પડી રહી છે. આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં ભોજન બાબતે કોઈ ઉકેલ આવ્યો નથી અને ઉલટાનું હવે બહારનું ભોજન મોંઘા ભાવે ખાવું પડી રહ્યું છે.