જમીન કૌભાંડમાં નામ સામે આવતા અરજદાર ભરત માળીની ધરપકડ કરવામાં આવી હતી.
(GNS), તા.11
બનાસકાંઠા,
અમીરગઢ તાલુકાના ઉમપ્રોટમાં જમીન કૌભાંડ ચાલતું હતું. પચાસ જેટલા ખેડૂતો પાસેથી દોઢ લાખ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા. તેના બદલામાં ખેડૂતોને જમીનના બોગસ દસ્તાવેજો અપાયા હતા. આ બાબતની અમીરગઢ મામલતદારને જાણ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં મુખ્ય આરોપી કિરણ બાબુભાઈ રાણાવસીયાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસમાં જમીન કૌભાંડમાં અરજદાર ભરત માળીનું નામ સામે આવતાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. આરોપી ભરત માળીને કોર્ટમાં રજૂ કરાતા તેને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે. ઉમરકોટ જમીન કૌભાંડની તપાસ તેજ બની છે અને કેટલાક આરોપીઓ સામે આવે તેવી શક્યતાઓ છે.