બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદને કારણે મોટાભાગના વિસ્તારોમાં ખેતીના પાકને નુકસાન થયું છે. જેમાં એરંડા, કપાસ, વરિયાળી જેવા પાકને ભારે પવન અને વરસાદના કારણે ઘણું નુકસાન થયું છે. અમીરગઢ તાલુકાના ખેડૂતોએ એરંડાની ખેતી કરી હતી જો કે ભારે વરસાદના કારણે એરંડા ધોવાઈ જતા ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી હતી.
ચક્રવાત ‘બિપોરજોય’ એ બનાસકાંઠામાં તબાહી મચાવી, જિલ્લામાં મોટાપાયે નુકસાન થયું. જે બાદ ખેડૂતો થોડા શાંત થયા હતા પરંતુ શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં ફરીથી મોટાપાયે નુકસાન થયું હતું. કેટલીક જગ્યાએ વીજળી પડવાથી પશુઓના મોત થયા છે તો કેટલીક જગ્યાએ માનવ મૃત્યુના પણ અહેવાલ છે.