બનાસકાંઠાની બનાસ અને બલરામ નદીઓ હાલમાં બંને કાંઠે વહી રહી છે. જેના કારણે નદીઓના વહેતા પાણીમાં ન્હાવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. જો કે ભૂતકાળમાં પણ નદીઓમાં ડૂબી જવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે નદી વિસ્તારમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, ઇકબાલગઢ નજીક વિશ્વેશ્વર અને બલરામ નજીક ધર્મતા મંદિર પાસે મોટી સંખ્યામાં લોકો નદીમાં સ્નાન કરતા જોવા મળે છે.
ચોમાસાની ઋતુના કારણે બનાસકાંઠા જિલ્લામાં નદી પુન: ધમધમી ઉઠી છે અને બે કાંઠે વહેવા લાગી છે. જો કે બંને કાંઠે વહેતી નદીઓમાં લોકો ઘુસવાને કારણે અકસ્માતની શક્યતાને પગલે નદીના પટમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, ઇકબાલગઢ નજીક વિશ્વેશ્વર અને બલરામ નજીક ધર્મતા મંદિરમાં, લોકો બંને કાંઠે વહેતી નદીઓમાં ઉમટી પડ્યા હતા. અને લોકો નદીના વહેતા પાણીમાં ન્હાતા જોવા મળ્યા હતા.
જોકે, આ બંને નદીઓમાં વિવિધ સ્થળોએ ખાડા પડી જવાને કારણે અનેક લોકોના ડૂબી જવાથી મોત થયા છે. જો કે લોકો વહેતી નદીઓમાં નાહવા માટે પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. જેના કારણે મોત થવાની સંભાવના છે.ત્યારે જવાબદાર તંત્ર લોકોને નદીમાં જતા અટકાવે તે જરૂરી બન્યું છે.
જોકે, આ બંને નદીઓમાં વિવિધ સ્થળોએ ખાડા પડી જવાને કારણે અનેક લોકોના ડૂબી જવાથી મોત થયા છે. જો કે લોકો વહેતી નદીઓમાં નાહવા માટે પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. જેના કારણે મોત થવાની સંભાવના છે.ત્યારે જવાબદાર તંત્ર લોકોને નદીમાં જતા અટકાવે તે જરૂરી બન્યું છે.