રાજ્યની બિન અનુદાનિત માધ્યમિક શાળાઓને અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય યોજના બંધ કરી દેવામાં આવી છે. આ યોજના હેઠળ શાળાઓને વિદ્યાર્થી દીઠ 7,500 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી.પરંતુ શાળાઓની તપાસ દરમિયાન કેટલીક ગેરરીતિઓ પ્રકાશમાં આવતાં આ યોજનાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, રાજ્ય સરકારની નવી શિષ્યવૃત્તિ યોજના હેઠળ, સહાય સીધી વિદ્યાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે.