વિજાપુર તાલુકાના સયાજીનગર ગામની સ્વચ્છતાની સાથે આખું ગામ એક રંગ એટલે કે કેસરીમાં જોવા મળે છે. ગામના પ્રવેશદ્વારથી ગામના દરેક રસ્તા પર આવતા ઘરોની દિવાલોને કેસરી રંગથી રંગવામાં આવી છે અને આ દિવાલો પર રામાયણના વિવિધ પાત્રો આકર્ષક છે. સરપંચ દેવેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ગામની વસ્તી 1002 છે. છેલ્લા દોઢ વર્ષમાં ગામમાં અંદાજે 2 કરોડના ખર્ચે પેવર બ્લોક, રસ્તા, ગટરલાઈન સહિતના વિકાસના કામો થયા છે. દિલ્હીથી ભારત સરકારના સચિવ 5 સપ્ટેમ્બરે સ્વચ્છતા અને વિકાસના કામો સંદર્ભે ગામની મુલાકાતે આવવાના છે.
અગાઉ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના પ્રદેશ સચિવ અને પદાધિકારીઓએ સરપંચો અને સભ્યો સાથે બેઠક યોજી હતી. 8.61 લાખના ખર્ચે રામાયણના ચિત્રો કોતરવામાં મધ્યપ્રદેશના કારીગરોને બે મહિના લાગ્યા હતા.