દેશની તમામ બેંકોનું સંચાલન કરતી ભારતીય રિઝર્વ બેંકે મહારાષ્ટ્રની ‘નાસિક ડિસ્ટ્રિક્ટ ગિરણા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ’નું બેંકિંગ લાઇસન્સ રદ કર્યું છે. સેન્ટ્રલ બેંકની આ જાહેરાત બાદ તે બેંકના ખાતાધારકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.
માહિતી અનુસાર, આરબીઆઈએ મહારાષ્ટ્રની ‘નાસિક ડિસ્ટ્રિક્ટ ગિરણા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ’નું બેંકિંગ લાઇસન્સ રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. સેન્ટ્રલ બેંકની આ જાહેરાત બાદ તે બેંકના ખાતાધારકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. બેંકનું બેંકિંગ લાઇસન્સ રદ કરતી વખતે, RBIએ કહ્યું કે બેંક પાસે ન તો કામ કરવા માટે પૂરતી મૂડી છે અને ન તો વધુ કમાવાની ક્ષમતા. તેથી ગિરાણા કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું બેંકિંગ લાઇસન્સ રદ કરવામાં આવી રહ્યું છે.
આરબીઆઈએ તેના આદેશમાં વધુમાં કહ્યું કે ગિરાણા કો-ઓપરેટિવ બેંક લિમિટેડનો ‘બેંકિંગ’ બિઝનેસ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી રહ્યો છે. બેંક હવેથી ન તો થાપણો સ્વીકારી શકે છે કે ન તો ચૂકવણી કરી શકે છે. દેશની સેન્ટ્રલ બેંકના આ આદેશ બાદ નાસિક ડિસ્ટ્રિક્ટ ગિરણા કો-ઓપરેટિવ બેંક લિમિટેડના ખાતાધારકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. જો કે, આરબીઆઈએ કહ્યું છે કે, બેંક ડેટા મુજબ, 99.92 ટકા થાપણદારો ડીઆઈસીજેસી પાસેથી તેમની થાપણોની સંપૂર્ણ રકમ મેળવવા માટે પાત્ર છે. આવી સ્થિતિમાં તેમને ચિંતા કરવાની જરૂર નથી.