તમામ યુવકો બોટાદના પાળીયાદ રોડ સ્થિત અશોકવાટીકાના રહેવાસી હતા.
બોટાદ શહેરના કૃષ્ણનગર તળાવમાં ન્હાવા ગયેલા પાંચ યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. આ તળાવમાં બે યુવકો ન્હાતા હતા, જ્યારે તેઓ ડૂબવા લાગ્યા ત્યારે અન્ય ત્રણ યુવકો તેમને બચાવવા તળાવમાં કૂદી પડ્યા હતા. બંનેને બચાવવાના પ્રયાસમાં પાંચેય યુવકો તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે.
ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ દોઢ કલાકની જહેમત બાદ પાંચેય યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ તમામ મૃતકો બોટાદના રહેવાસી છે. ઘટનાની જાણ થતા જ પ્રાંત અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.આ તમામ યુવાનો બોટાદ શહેરના પલીયાદ રોડ સ્થિત અશોકવાટીકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
કૃષ્ણસાગર તળાવમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પરિવાર ઘેરા શોકમાં છે.