અંબાજી ભાદરવી પૂનમના રોશનીથી ઝળહળી ઉઠે છે. અંબાજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિરની રોશની જોઈને ભક્તો ખુશ થઈ ગયા. અંબાજી મંદિરની સુંદરતા અદ્ભુત રોશનીથી વધી જાય છે. અંબાજીના વિવિધ માર્ગોને પણ રોશનીથી શણગારવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમનું આયોજન કરવામાં આવે છે. આ પવિત્ર દિવસો દરમિયાન, ગુજરાત અને સમગ્ર દેશમાંથી ભક્તો મા અંબાના દર્શન કરે છે.
આ વખતે અંબાણા ધામમાં 23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ મેળાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.