જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારા માટે આ સારા સમાચાર છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા દરરોજ હજારો ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે. પ્રવાસ દરમિયાન મુસાફરોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. તેને ધ્યાનમાં રાખીને ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે.
ભારતીય રેલ્વે હવે મુસાફરોની સુવિધા માટે એક ખાસ એપ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ સુપર એપની મદદથી તમે ટિકિટિંગ, ટ્રેકિંગ અને રેલવેને લગતી અન્ય ઘણી સુવિધાઓનો લાભ લઈ શકશો.
અહેવાલો અનુસાર રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે રેલવે સંબંધિત ઘણી એપને એક મોટી એપ હેઠળ લાવવામાં આવશે. રેલવે શાખા CRIS આ ખાસ પ્રકારની સુપર એપ બનાવવા જઈ રહી છે. આઈઆરસીટીસી રેલ કનેક્ટ, ઈ-કેટરિંગ ફૂડ ઓન ટ્રેક, આઈઆરસીટીસી એર વગેરે જેવી એપ્લિકેશન આ એપ હેઠળ લાવી શકાય છે.