ભાવનગર જીલ્લાના સિહોર ગામે ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર પતિએ પત્નીની છરીના ઘા મારી હત્યા કરી નાંખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગંભીર રીતે ઘવાયેલી પત્ની હજુ પણ હોસ્પિટલમાં છે, આજે પતિએ સિહોર રેલવે સ્ટેશને પહોંચ્યા બાદ ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરી હતી. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. જોકે, પતિ-પત્નીનો આ માળો ક્યા કારણોસર તૂટ્યો તે જાણી શકાયું નથી.