કાણોદરમાંથી 53 લાખની કિંમતનું 8200 કિલો અખાદ્ય ઘી જપ્ત સરહદી બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયાઓ સામે તંત્ર કાયદેસરની કાર્યવાહી કરી રહ્યું છે. કાણોદરમાં ગઈકાલે બે વેપારી પેઢીમાંથી રૂ. 53 લાખની કિંમતનો 8200 કિલો અખાદ્ય ઘી ઝડપાયા બાદ જિલ્લા કલેકટરે તેમની સામે પોલીસ કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે.
પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે પર પુરવઠા વિભાગ દ્વારા ઘી બનાવતી બે શંકાસ્પદ ફેક્ટરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જે બાદ ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી. નમસ્તે અને શ્રીમૂલ નામની મીની ફેક્ટરીઓમાં કાર્યવાહી રૂ. 53 લાખનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો
પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે પર પુરવઠા વિભાગ દ્વારા ઘી બનાવતી બે શંકાસ્પદ ફેક્ટરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જે બાદ ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી. નમસ્તે અને શ્રીમૂલ નામની મીની ફેક્ટરીઓમાં કાર્યવાહી રૂ. 53 લાખનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો