વિસનગર તાલુકા ગોપાલક વિકાસ મંડળ અને વિસનગર તાલુકા ગોપાલક કેળવણી મંડળ દ્વારા ગોપાલક સમાજના મહાનુભાવોનું સન્માન, ગોપાલક મંડળની રજત જયંતી ઉજવણી, વિદ્યાર્થી ઈનામ વિતરણ સમારોહ અને તાલુકા ગોપાલક યુવા શૈક્ષણિક સંમેલન સાગરભાઈ રબારી કુમાર કુમાર છાત્રાલય ખાતે તુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તારાભ વલીનાથ ધામના મહંત શ્રી જયરામગીરી બાપુની ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ સાથે 25 વર્ષથી ફરજ બજાવતા ધરમસિંહ જામાભાઈ રબારીનું પણ વજન કરવામાં આવ્યું હતું. જેમાં મંડળીના પ્રમુખ સહિત સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિસનગર તાલુકા ગોપાલક વિકાસ મંડળ અને વિસનગર તાલુકા ગોપાલક કેળવણી મંડળ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાને 25 વર્ષથી સતત સેવા આપનાર વિસનગર તાલુકા ગોપાલક વિકાસ મંડળના ઉપપ્રમુખ ધરમસિંહ જામાભાઈ રબારીને તેમની સેવાની કદર તરીકે તોલવામાં આવ્યા હતા. જેમાં ખાંડ, જુવાર અને ગોળ વડે તેનું વજન કરવામાં આવ્યું હતું. જ્યાં સમાજના આગેવાનો દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ગોપાલક સમાજના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સમાજના ઝળહળતા તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. જેમાં વિવિધ શૈક્ષણિક વિભાગોમાં સિદ્ધિ મેળવનાર સમાજના વિદ્યાર્થીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્યાં સમાજના આગેવાનો સાથે દીકરીઓને ભણાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોનું સંમેલન પણ યોજવામાં આવ્યું હતું. આ સમારોહમાં વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં વડીલો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.