ગુજરાત સરકારે કૈલાસ માનસરોવરની યાત્રાએ જતા પ્રવાસીઓ માટે એક જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના યાત્રાળુઓને રાજ્ય સરકાર દ્વારા અપાતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.મુખ્યમંત્રી દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ પ્રોત્સાહક સહાયની રકમમાં રૂ.5000નો વધારો કરવામાં આવશે.