ગાંધીનગર, તા. 6
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ નાગરિકોને કૃષ્ણ જન્મોત્સવ અને જન્માષ્ટમીના પવિત્ર તહેવારની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
કૃષ્ણ જન્મોત્સવની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ એવી આશા પણ વ્યક્ત કરી છે કે અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાતો આ તહેવાર સમગ્ર સમાજમાં સૌહાર્દ, ભાઈચારા અને પરસ્પર પ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવતો ઉત્સવ બને.