યાત્રાધામ અંબાજીમાં ગત રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ચક્રવાત બિપરજોયના પ્રભાવ હેઠળ અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને યાત્રાધામ અંબાજીમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ચક્રવાત બિપરજોયની અસર અને હવામાન વિભાગની આગાહીની અસર યાત્રાધામ અંબાજી અને તેની આસપાસ પણ જોવા મળી રહી છે. આજે પણ સવારથી અંબાજી અને આસપાસના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે.