ગાંધીનગરઃ (ગાંધીનગર) રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. આજે રાજકોટના રામજી મંદિરમાં 100થી વધુ ક્ષત્રિયોએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. પરસોતમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન બાદ ક્ષત્રિય સમાજ અને રૂપાલા વચ્ચે વિવાદ વધી ગયો છે. રાજકોટના રામજી મંદિર ખાતે 100થી વધુ ક્ષત્રિયોએ ત્રણ દિવસીય પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. આજે સવારથી 100થી વધુ ક્ષત્રિય મહિલાઓએ રામજી મંદિર ખાતે પ્રતિક ઉપવાસ શરૂ કરી રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ ઉગ્ર બનાવી હતી.
આ ઉપરાંત ક્ષત્રિય આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટે 24 એપ્રિલથી રાજ્યભરના ધાર્મિક સ્થળોએથી ધાર્મિક રથ કાઢવામાં આવશે. આ ધર્મરથ જુદા-જુદા ગામડાઓમાં જઈને રૂપાલા તેમજ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે અને લોકોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રેરિત કરશે. ક્ષત્રિય સમાજ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવશે જેથી લોકો શક્ય તેટલો વધુ ભાજપ વિરુદ્ધ મતદાન કરે. આ ઉપરાંત અમદાવાદમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ પ્રદર્શન કરી રૂપાલા હાય-હાય રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ કરી હતી. આ સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન પણ કરવામાં આવ્યું હતું.
ભાજપ વિરુદ્ધ વોટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
ગાંધીનગરઃ પરસોત્તમ રૂપાલાનો વિરોધ હવે ભાજપનો વિરોધ બની ગયો છે. પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગણી ભાજપે સ્વીકારી ન હતી, જેના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને હવે ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે સોશિયલ મીડિયા પર જોરશોરથી ઝુંબેશ શરૂ કરી છે.
રૂપાલાના વિરોધની સાથે ક્ષત્રિય સમાજમાંથી પણ ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના મહિલાઓ અને યુવાનો સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને રૂપાલા સાથે ભાજપનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે, ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાન વીરભદ્રસિંહ જાડેજાનું એક નિવેદન પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આમાં તેણે કહ્યું છે કે પંજાને વોટ આપવાનો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ફરતો થઈ રહ્યો છે જેમાં ક્ષત્રિય સમાજના લોકોને ભાજપ વિરુદ્ધ વોટ કરવાની અપીલ કરવામાં આવી રહી છે અને અન્ય સમાજના લોકોને પણ ભાજપ વિરુદ્ધ વોટ કરવાની અપીલ કરવામાં આવી રહી છે.
ગાંધીનગરઃ (ગાંધીનગર) રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. આજે રાજકોટના રામજી મંદિરમાં 100થી વધુ ક્ષત્રિયોએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. પરસોતમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન બાદ ક્ષત્રિય સમાજ અને રૂપાલા વચ્ચે વિવાદ વધી ગયો છે. રાજકોટના રામજી મંદિર ખાતે 100થી વધુ ક્ષત્રિયોએ ત્રણ દિવસીય પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. આજે સવારથી 100થી વધુ ક્ષત્રિય મહિલાઓએ રામજી મંદિર ખાતે પ્રતિક ઉપવાસ શરૂ કરી રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ ઉગ્ર બનાવી હતી.
આ ઉપરાંત ક્ષત્રિય આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટે 24 એપ્રિલથી રાજ્યભરના ધાર્મિક સ્થળોએથી ધાર્મિક રથ કાઢવામાં આવશે. આ ધર્મરથ જુદા-જુદા ગામડાઓમાં જઈને રૂપાલા તેમજ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે અને લોકોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રેરિત કરશે. ક્ષત્રિય સમાજ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવશે જેથી લોકો શક્ય તેટલો વધુ ભાજપ વિરુદ્ધ મતદાન કરે. આ ઉપરાંત અમદાવાદમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ પ્રદર્શન કરી રૂપાલા હાય-હાય રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ કરી હતી. આ સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન પણ કરવામાં આવ્યું હતું.
ભાજપ વિરુદ્ધ વોટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
ગાંધીનગરઃ પરસોત્તમ રૂપાલાનો વિરોધ હવે ભાજપનો વિરોધ બની ગયો છે. પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગણી ભાજપે સ્વીકારી ન હતી, જેના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને હવે ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે સોશિયલ મીડિયા પર જોરશોરથી ઝુંબેશ શરૂ કરી છે.
રૂપાલાના વિરોધની સાથે ક્ષત્રિય સમાજમાંથી પણ ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના મહિલાઓ અને યુવાનો સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને રૂપાલા સાથે ભાજપનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે, ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાન વીરભદ્રસિંહ જાડેજાનું એક નિવેદન પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આમાં તેણે કહ્યું છે કે પંજાને વોટ આપવાનો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ફરતો થઈ રહ્યો છે જેમાં ક્ષત્રિય સમાજના લોકોને ભાજપ વિરુદ્ધ વોટ કરવાની અપીલ કરવામાં આવી રહી છે અને અન્ય સમાજના લોકોને પણ ભાજપ વિરુદ્ધ વોટ કરવાની અપીલ કરવામાં આવી રહી છે.