અલવર,
જો સારો જીવનસાથી મળી જાય તો જિંદગી શાનદાર બની જાય છે, તો વળી ખોટા જીવનસાથી મળી જાય તો જિંદગી નરક બની જાય છે. લગ્નના છ દિવસ બાદથી જ નરક ભોગવી રહી હતી અલવરની દીકરી. એક મહિના પહેલા અલવરના તિજારા વિસ્તાર નજીક રહેલી સોનમના લગ્ન મનોજ નામના શખ્સ સાથે થયા હતા. મનોજ લગ્ન બાદ સોનમને લઈને બિહાર જતો રહ્યો. બિહારમાં મનોજ કમ્પાઉંડરની નોકરી કરતો હતો, જ્યારે સોનમ નર્સિંગનો અભ્યાસ કરી રહી હતી. પણ લગ્નના છ દિવસ બાદથી સોનમ આ લગ્નથી કંટાળી ગઈ. ત્યાર બાદ પરિવારના જણાવ્યા અનુસાર, મનોજે તેને પરેશાન કરવાનું શરુ કર્યું. આ કારણે લગ્નના એક મહિના બાદ સોનમે ટ્રેન આગળ કુદીને જીવ આપી દીધો. સોનમના મોત બાદ પરિવારે તેની લાશ લઈને બિહારથી અલવર આવ્યા.
તેમણે પોલીસને જણાવ્યું કે, લગ્નના છ દિવસ સુધી બધું બરાબર ચાલતું રહ્યું પમ બાદમાં મનોજ આખી રાત ગાયબ રહેવા લાગ્યો. સોનમ તેની રાહ જોઈને આખી રાત જાગતી રહેતી. સોનમને શંકા ગઈ કે, તેનું કોઈ અન્ય સાથે અફેર ચાલે છે અને રાતના સમયે તેની પાસે જાય છે. હવે સોનમે આ વખતે પૂછ્યું તો મનોજે તેની સાથે મારપીટ કરી દીધી. સોનમે પોતાના પરિવારને કોલ કરીને મનોજની ફરિયાદ કરી હતી. તેણે જણાવ્યું હતું કે, મનોજ તેને મોબાઈલ લેવા દેતા નથી. તે કેટલીય વાતો તેનાથી છુપાવે છે. જ્યારે સોનમે એક વાર તેનો ફોન લીધો તો તેની સાથે મારપીટ કરી. આખરે સોનમે પોતાના પતિનો અત્યાચાર સહન કરી શકી નહીં અને ટ્રેન આગળ કુદીને પોતાનો જીવ આપી દીધો. ટ્રેક પાસેથી સોનમના ડોક્યુમેન્ટના આધારે લાશની ઓળખાણ થઈ.