રાજસ્થાન સમાચાર: રાજસ્થાનના કોટા શહેરમાંથી એક મોટી ઘટના સામે આવી રહી છે. મહાશિવરાત્રી નિમિત્તે નીકળેલી શિવ શોભાયાત્રા દરમિયાન મોટો અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન ઈલેક્ટ્રીક શોક લાગવાથી 14 જેટલા બાળકો દાઝી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના કુનહડી થર્મલ ચારરસ્તા પાસે રાત્રે લગભગ 12:30 વાગ્યે બની હતી. અકસ્માત બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાસ્થળે હાજર લોકોએ ઘાયલ બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. માહિતી મળી રહી છે કે લોકસભા સ્પીકર અને સાંસદ ઓમ બિરલા ઘાયલોને મળવા માટે MBBS હોસ્પિટલ પહોંચ્યા છે જ્યાં તમામ બાળકોની સારવાર ચાલી રહી છે.