ગુજરાતમાં દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને આજે સાંજે 5 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના માત્ર 13 કેસ નોંધાયા છે. જ્યારે સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા મેળવનારા દર્દીઓની સંખ્યા 22 નોંધાઈ છે. સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે.
અમદાવાદમાં એક દર્દીનું મોત થયું છે. હાલમાં કોરોનાના કારણે કુલ 1279977 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે હાલમાં માત્ર 1 દર્દી વેન્ટિલેટર પર છે. 127 દર્દીઓની હાલત સ્થિર છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી કોરોનાના સૌથી વધુ 8 કેસ સામે આવ્યા છે. જ્યારે 7 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત ભરૂચ, ગીર-સોમનાથ, મહેસાણા, સુરત, વડોદરામાંથી એક-એક કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ-19માંથી રિકવરી રેટ વધીને 99.13 ટકા થયો છે.