રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે આજે કલ્યાણપુરા ગામની આંગણવાડી, પ્રાથમિક શાળા સહિતમાં રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. 500 થી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાધનપુરના કલ્યાણપુરા ગામમાં ભણસાલી ટ્રસ્ટ દ્વારા આંગણવાડી કેન્દ્રો અને ગામની અંદર રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી કાર્યકરો લોકોને જવાબદારી નિભાવવા અને વૃક્ષોનું જતન કરવા અને પર્યાવરણ જાગૃતિ માટે આંગણવાડીમાં રોપા વાવી અપીલ કરતી જોવા મળી હતી. બીજી તરફ, ગ્રામજનોએ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે ઘરે ઘરે રોપા લીધા, તેનું ઉછેર કર્યું અને રોપા વાવ્યા. લોકોએ સહકાર આપી વૃક્ષારોપણ કર્યું હતું. રાધનપુરના કલ્યાણપુરા ગામે વન વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળામાં રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.. શિક્ષકોએ રોપા રોપવાની અને તેનું રક્ષણ કરવાની જવાબદારી લીધી હતી. બાળકોને વૃક્ષારોપણ, પર્યાવરણ જાગૃતિ, વૃક્ષોનું જતન વગેરે વિશે પણ માહિતી આપવામાં આવી હતી. શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓને પર્યાવરણ અને વૃક્ષોનું મહત્વ અને વૃક્ષોની જાળવણી વગેરે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ અન્વયે ગામમાં વૃક્ષારોપણ કરવા અને વધુને વધુ વૃક્ષો વાવવા માટે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પર્યાવરણ જાગૃતિ માટે તાલુકાઓમાં આયોજન