(જીએનએસ) તા. 27
ગાંધીનગર,
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે લાઠી તાલુકામાં સામૂહિક વન નિર્માણ યોજના અંતર્ગત વૃક્ષારોપણ અંગેના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે, લાઠી તાલુકામાં છેલ્લા બે વર્ષમાં 64 હેક્ટર વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જેમાં લીમડા, અરડુસી, સરગવો, જામફળ, સીતાફળ, રાયણ જેવા વિવિધ છોડનો સમાવેશ થાય છે. આ માટે રાજ્ય સરકારે રૂ. 33.21 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.