સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોમવારે ભાજપ પર જોરદાર હુમલો કર્યો. તેમણે લોકસભા ચૂંટણી 2024ને લઈને પોતાની રણનીતિ પણ વ્યક્ત કરી હતી. ભાજપ પર પ્રહાર કરતા અખિલેશે કહ્યું કે ભાજપની ડબલ એન્જિન સરકારે યુપીની જનતાને નિરાશ અને દુઃખી કર્યા છે. તેઓએ ખેડૂતો, મહિલાઓ અને યુવાનોની અવગણના કરી છે. મોંઘવારી, બેરોજગારી આજે ચરમસીમાએ છે અને સરકારને આ મુદ્દાઓ સાથે કોઈ લેવાદેવા નથી.
આ સાથે જ અખિલેશે લોકસભા ચૂંટણીને લઈને એક મોટી વાત કહી. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની ભૂમિકા ઘણી મોટી છે. ભાજપની ડબલ એન્જિન સરકારે યુપીના લોકોને નિરાશ અને દુ:ખી કર્યા છે. આનો જવાબ જનતા 2024ની લોકસભા ચૂંટણીમાં આપશે. લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં મોટો ફેરફાર થશે.
અખિલેશે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે સમાજવાદી પાર્ટી પાસે રાજ્ય અને દેશ માટે એક વિઝન છે. તે વિકાસનું એક મોડેલ છે. તેમની પાસે ગરીબોને આગળ લઈ જવાની ભાવના છે. સમાજવાદીઓએ હંમેશા પીડિત અને ગરીબોને ન્યાય આપ્યો છે. જનતાને સમાજવાદીઓ પાસેથી આશા છે. સમાજવાદી પાર્ટી પોતાની તમામ શક્તિ સાથે ભાજપને સત્તા પરથી હટાવશે અને તેના અન્યાય, અત્યાચારનો અંત લાવશે અને લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરશે.